Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

  આજે  ૩૧ ઑગસ્ટના રોજ ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકાર શ્રી ધીરુભાઈ પરીખનો જન્મદિન છે. તેમને જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં તેમની ગુજરાતીલેક્સિકન સાથેની પોતાનો ભાષાપ્રેમ અને સાહિત્યપ્રેમ પ્રગટ કરતી મીઠી ગોષ્ઠીને માણીએ… જન્મ : ૩૧ – ૮ – ૧૯૩૩, વીરમગામ. ૧૯૫૧માં મૅટ્રિક, ૧૯૫૫માં બી.એ., ૧૯૫૮માં એમ.એ., ૧૯૬૭માં પી.એચ.ડી., ૧૯૫૫થી સી.યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭થી ૧૯૬૯ […]

મિત્રો, આજે ૧૩ ઑગસ્ટના રોજ જાણીતા કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિન છે. તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં ચાલો, તેમના જીવન, કાર્ય અને સાહિત્યિક પ્રદાનની આછી ઝલક મેળવીએ…. જન્મ ૧૩ ઑગસ્ટ, ૧૯૫૫, ભોરિંગડા, વતન – બોટાદ, જિ. – અમરેલી કુટુંબ પિતા – હરગોવિંદદાસ જોશી, પત્ની – વિમલ; પુત્ર – અનિરુદ્ધ અભ્યાસ ૧૯૭૭ – એમ.એ., ૧૯૮૦ – પી.એચ. ડી. વ્યવસાય ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના […]

પ્રિય સાહિત્યપ્રેમી મિત્રો,  આજનો દિવસ ૧૮ મી મે  ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ વિશેષ દિન છે. આજના દિવસે ગુજરાતી સાહિત્યના ચાર – ચાર સિતારાઓનો જન્મ થયો હતો અને ગુજરાતી સાહિત્ય જગતને તેમની સાહિત્યિક કૃતિઓ થકી અણમોલ ભેટ ચિરકાળ સુધી મળતી રહી. ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે.  ચાલો, તેમના  સર્જનની  સ્મૃતિ કરી ભાવાંજલિ અર્પણ કરીએ…. કહું છું ક્યાં […]

આજે ૬ઠ્ઠી એપ્રિલના રોજ સાહિત્યના એક મૂર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં. ચી. મહેતાની જન્મતિથિ છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. તેમની સાહિત્ય સેવાઓને બિરદાવતાં ‘ગુજરાતીલેક્સિકન’ તરફ્થી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવવામાં આવે છે. ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ‘ચં.ચી.મહેતા’ (જન્મ : ૬-૪-૧૯૦૧, અવસાન : ૨૨-૪-૨૦૦૧) કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક તરીકે ખ્યાતિ. તેમને જન્મ સુરત શહેરમાં થયો […]

કવિ, વિવેચક તથા સંપાદક તરીકે જાણીતા સાહિત્યકાર શ્રી હેમંત દેસાઈનો આજ ૨૭ માર્ચના રોજ જન્મદિવસ છે. તેમના જન્મદિન નિમિત્તે તેમની સ્મૃતિ કરતાં તેમની જાણીતી રચના માણીએ… ………………………………………………………………………………………………… પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું, ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું. ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે મચ્યા રહ્યાનું, લગાતાર […]

આજ રોજ તા. ૧૯ ડિસેમ્બર, અમદાવાદ શહેરમાં થઈ ગયેલા નામાંકિત ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનો જન્મદિન. ગરવી ગુજરાત ભૂમિના એ નરરત્ન હતા. તેમના આદર્શો અને કાર્યો કદી વિસરી શકાય તેમ નથી. તેમની જન્મજયંતી નિમિત્તે ચાલો તેમની સ્મૃતિ કરીએ. જન્મઃ ડિસેમ્બર ૧૯, ૧૮૯૪ , અમદાવાદ ;   અવસાનઃ જાન્યુઆરી ૨૦, ૧૯૮૦ અમદાવાદ પરિવારઃ માતા – મોહિનાબા, પિતા – લાલભાઈ, પત્ની – શારદાબહેન, સંતાનો – […]

પોતે ગંભીર ચહેરો રાખી અન્યને હસાવીને લોથપોથ કરી દેનાર, ‘રમૂજના રાજા’ તરીકે ઓળખાતા શાહબુદ્દીન રાઠોડનો આજે ૯ ડિસેમ્બરના રોજ જન્મદિન છે. તેમના જીવન ઝરમર વિશે ટૂંકમા જાણીએ તો –  અનેક વાર વિદેશ પ્રવાસ – ૨૨ દેશોની મુલાકાત લીધી છે. થીયેટર, આકાશવાણી અને દૂરદર્શન પર અનેક હાસ્ય કાર્યકમો આપેલ છે.તેમના પ્રેરણામૂર્તિ – ચાર્લી ચેપ્લિન, માર્ક ટ્વેઇન, સૌથી […]

આજ રોજ તારીખ ૨૮ નવેમ્બરના રોજ જાણીતા સાહિત્યકાર શ્રી કરસનદાસ માણેકનો જન્મદિન છે. ચાલો, તેમના જીવન અને કવન વિશેનો ટૂંકમાં પરિચય મેળવીએ. પરિચય કરસનદાસ નરસિંહ માણેક, ‘વૈશંપાયન’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ […]

આનંદીબેન મફતલાલ પટેલ ભારતીય રાજકારણી અને ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે. તેણી સને ૧૯૮૭ થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેણીએ ગુજરાત સરકારમાં સને ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના […]

જાણીતા બહુમુખી પ્રતિભાવંત સાહિત્યકાર શ્રી ચિનુ મોદીનો જન્મદિન ૩૦ સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે તેઓ પોતાના જીવનનાં ૭૫ વર્ષ પૂર્ણ કરતા હોવાથી ગુજરાતી સાહિત્ય જગત તેમનો અમૃત મહોત્સવ ઉજવતાં ગૌરવ તથા હર્ષોલ્લાસની લાગણી અનુભવે છે. કવિતા, નાટક, વાર્તા, નવલકથા વગેરે વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોમાં તેમનું સાહિત્યિક ખેડાણ પ્રસંશનીય છે. ગુજરાતી સાહિત્યની તેમણે કરેલી સેવાઓ અમૂલ્ય […]