પ્રિય સાહિત્યપ્રેમી મિત્રો,
આજનો દિવસ ૧૮ મી મે ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ વિશેષ દિન છે. આજના દિવસે ગુજરાતી સાહિત્યના ચાર – ચાર સિતારાઓનો જન્મ થયો હતો અને ગુજરાતી સાહિત્ય જગતને તેમની સાહિત્યિક કૃતિઓ થકી અણમોલ ભેટ ચિરકાળ સુધી મળતી રહી. ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે. ચાલો, તેમના સર્જનની સ્મૃતિ કરી ભાવાંજલિ અર્પણ કરીએ….
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો
જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો
તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો
જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો
ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.
– આદિલ મન્સૂરી
હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
— રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું આ પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.
– નિરંજન ભગત
રાજા રાણા ! અક્કડ શેંના ?
વિસાત શી તમ રાજ્ય તણી
કઈ સત્તા પર કૂદકા મારો ?
લાખ કોટિના ભલે ધણી
લાખ તો મૂઠી રાખ બરાબર
ક્રોડ છોડશે સરવાળે
સત્તા સૂકા ઘાસ બરાબર
બળી આસપાસે બાળે
ચક્રવર્તી મહારાજ ચાલિયા
કાળચક્રની ફેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ… (સંપૂર્ણ કવિતા વાંચો.)
– બહેરામજી મલબારી
આપેલ લિંક દ્વારા નરોત્તમ પલાણનો સુંદર લેખ માણો : http://www.readgujarati.com/
માહિતી સ્રોત – સાભાર : http://www.readgujarati.com/, http://www.vijaydshah.com/,
http://www.readgujarati.com/, https://gujaratikavitaanegazal.wordpress.com
No Response to “જન્મદિન વિશેષ ( ૧૮મી મે ) – આદિલ મન્સૂરી, નિરંજન ભગત, બહેરામજી મલબારી, નરોત્તમ પલાણ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment