વર્ષ 2013માં હૃદયસ્થ થયેલાં રતિકાકાની સ્મૃતિમાં વર્ષ 2019ની 23 ફેબ્રુઆરી, શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચોથી સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જાણીતા પત્રકાર અને લેખક શ્રી ઉર્વીશ કોઠારી મુખ્ય અતિથિ હતા તથા ઓપિનિયન સામાયિકના તંત્રી અને ગુજરાતીલેક્સિકનના ટ્રસ્ટી શ્રી વિપુલ કલ્યાણી મુખ્ય અધ્યક્ષ હતા. જોગાનુજોગે રતિકાકાના દીકરી સુશ્રી દક્ષાબહેન શાહ આ સમયે અમદાવાદ મુકામે ઉપસ્થિત હતા અને ગુજરાતીલેક્સિકનના નિમંત્રણને માન આપી આ સભાના અધ્યક્ષ, મુખ્ય અતિથિ અને ગુજરાતીલેક્સિકનના મેન્ટર શ્રી અશોક કરાણિયા સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત રહી સભાને યોગ્ય મહત્ત્વ પ્રદાન કર્યું હતું.
અત્યાર સુધી મોટેભાગે સાંજના સમયે આયોજિત આ સભા આ વર્ષે સવારના સમયે રાખવામાં આવી હતી અને એકંદરે 80થી 100 લોકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. ઔપચારિક આવકાર બાદ વિપુલભાઈ કલ્યાણીના હસ્તે ઉર્વીશભાઈનું બહુમાન કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વિપુલભાઈએ ઉર્વીશભાઈનો પરિચય શ્રોતાઓને કરાવ્યો હતો.
સભાના મુખ્ય વક્તા શ્રી ઉર્વીશ કોઠારીએ ગુજરાતી : લોકભાષા, જ્ઞાનભાષા, ભવિષ્યભાષા ઉપર પોતાનું વકતવ્ય રજૂ કર્યું હતું. ઉર્વીશભાઈ પોતાના વકતવ્યામાં કેવી રીતે ગુજરાતીલેક્સિકન સ્રોતનો ઉપયોગ કરીને લોકભાષા તથા જ્ઞાનભાષાનું સમનવ્ય કરી તેને આવનારી પેઢીમાટેની ભવિષય્ભાષા બનાવી શકાય અને આધુનિક ટેક્નોલોજીને કેવી રીતે સાંકળી શકાય તેની સુંદર રજૂઆત કરી હતી. તેમનુંં સમગ્ર વ્યકત્વ્ય આ લિંક ઉપર માણી શકાશે :
https://www.youtube.com/watch?v=kYo6XwLrLSY
ત્યારબાદ શ્રી અશોક કરાણિયાએ ગુજરાતીલેક્સિકનની અત્યારસુધીની પ્રવૃત્તિઓ વિશે શ્રોતાને માહિતી આપ્યા બાદ ટેક્નોલોજીની હરણફાળ સાથે નજીકના ભવિષ્યમાં ગુજરાતીલેક્સિકન કેવા નવા પ્રકલ્પો ઉપર કાર્ય કરવા ઇચ્છુક છે તેની રજૂઆત કરી હતી. આ પ્રકલ્પોમાં બોટ, આર્ટિફિશય્લ ઇન્ટેલિજન્સ, વીડિયો વગેરે પ્રવૃત્તિઓ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ આભારવિધિ સાથે સભાના પ્રથમ ભાગનું સમાપન કરવામાં આવ્યું હતું અને પાંચ મિનિટના વિરામબાદ ભોગીલાલ ગાંધી દ્વારા શરૂ કરાયેલ વર્ષ 1958થી 1993ના ગાળા દરમ્યાન પ્રસિદ્ધ થયેલ અને ગુજરાતીલેક્સિકન દ્વારા ડિજિટાઇઝ કરાયેલ વિશ્વમાનવ સામાયિકની ડીવીડી લોકાર્પણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
દ્વિતિય સભાની શરૂઆતમાં આમંત્રિતોને સ્ટેજ પર આવકાર્યા બાદ સભા અધ્યક્ષ વિપુલભાઈએ પ્રકાશભાઈનો પરિચય આપી પ્રકાશભાઈને સભાનો દોર આપ્યો હતો. પ્રકાશભાઈએ વિશ્વમાનવ સાથેના તેમના સંસ્મરણો અને ખાસ કરીને ભોગીભાઈના વ્યક્તિત્વનો લોકોને પરિચય આપ્યો હતો. ત્યારબાદ ગુજરાતીલેક્સિકન ટીમ દ્વારા ડિજિટલ વિશ્વમાનવ ડીવીડીનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને પછી મંચસ્થ ગુલામ મોહમ્મદ શેખ, સુમન શાહ, યોગેશ જોષી, પ્રકાશ શાહ અને વિપુલ કલ્યાણીના હસ્તે ડીવીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ બાદ ગુલામ મોહમ્મદ શેખ, સુમન શાહ અને યોગેશ જોષીએ પોતાના વકતવ્ય રજૂ કર્યા હતાં અને ભોગીભાઈ સાથેની તેમની સ્મૃતિ મમળાવી હતી. આ તમામના વકતવ્ય આ લિંક ઉપર માણી શકાશે :
https://www.youtube.com/watch?v=HhVEQEYerlo&list=PLIjHkh9O5_8enNzjSzBKNvP7_8DbUggvp
અંતમાં વિશ્વમાનવ ડીવીડી તા. 5 માર્ચથી ઉપલબ્ધ બનશે અને તે ગુજરાતીલેક્સિક્ન ઑફિસ ઉપરથી મેળવી શકાશે તેની જાહેરાત કરવામાં આવી હતી. આ અમૂલ્ય સામગ્રીનું એડવાન્સ બુકિંગ [email protected] ઉપર મેલ કરી નોંધાવી શકો છો.
આભાર સહ,
ગુજરાતીલેક્સિકન ટીમ
Office : 079 48909758
No Response to “રતિલાલ ચંદરયા ચતુર્થ સ્મૃતિ સભા” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment