Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

માનવમૂલ્યોના પ્રહરી સાહિત્યકાર અને સમાજસેવી શ્રી રઘુવીર ચૌધરીના જીવનકાર્યની વંદના કરતો કાર્યક્રમ : ‘કાચા સૂતરને તાંતણે’ સ્નેહીશ્રી, ગુજરાતી ભાષાના મૂર્ધન્ય-રસાળ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીના વ્યક્તિત્વની પરકમ્મા કરવા માટે, અમે મિત્રોએ શનિવાર, તા. ૧૦-૧-૨૦૧૫ના રોજ સાંજે ૫-૦૦ કલાકે, ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. સભાગૃહમાં એક આત્મીય કાર્યક્રમ યોજ્યો છે. રઘુવીરભાઈની ઉપસ્થિતિમાં એમનાં સ્નેહી-મિત્રો વૈવિધ્યસભર વ્યક્તિત્વ વિશે મન મૂકીને વાતો કરશે. […]

વર્ષ 2015ના પ્રારંભે તા. 3 જાન્યુઆરીને શનિવારની સવારે ગુજરાતીલેક્સિકન નિદર્શન કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો. ગુજરાતીલેક્સિકન એટલે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ઓનલાઈન ડિજિટલ શબ્દકોશ. તેના સ્થાપક આદરણીય શ્રી રતિલાલ ચંદરયાની ગુજરાતી ભાષાસેવાનો પરિચય કરાવતું વિશાળ વેબપોર્ટલ. તેના પ્રચાર-પ્રસાર તથા ભાષાના વિશાળ સ્રોતને લોકોપયોગી બનાવવા માટે શાળા-મહાશાળોમાં તેના વિવિધ સેવાકીય પ્રક્લ્પોનો પરિચય કરાવતું નિદર્શન અપાય છે. 13 જાન્યુઆરી […]

આજ રોજ તા. ૧૯ ડિસેમ્બર, અમદાવાદ શહેરમાં થઈ ગયેલા નામાંકિત ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનો જન્મદિન. ગરવી ગુજરાત ભૂમિના એ નરરત્ન હતા. તેમના આદર્શો અને કાર્યો કદી વિસરી શકાય તેમ નથી. તેમની જન્મજયંતી નિમિત્તે ચાલો તેમની સ્મૃતિ કરીએ. જન્મઃ ડિસેમ્બર ૧૯, ૧૮૯૪ , અમદાવાદ ;   અવસાનઃ જાન્યુઆરી ૨૦, ૧૯૮૦ અમદાવાદ પરિવારઃ માતા – મોહિનાબા, પિતા – લાલભાઈ, પત્ની – શારદાબહેન, સંતાનો – […]

મુશ્કિલો મેં ભી હસના હમે આતા હે, દરિયા ગહરા હુવા તો ક્યા હુવા, તૈરના હમે આતા હે; અબ કિસે પરવાહ હૈ હાર યા જીત કી, હર લડાઈ કો હિંમત સે લડના હમે આતા હૈ. આ શબ્દો કોઈ જાણતા લેખક, કવિ કે કોઈ મહાન વિજ્ઞાનિકતા નથી. પણ આ શબ્દો સંધિવાને કારણે શરીરનું હલન ચલન નહીં કરી […]

પોતે ગંભીર ચહેરો રાખી અન્યને હસાવીને લોથપોથ કરી દેનાર, ‘રમૂજના રાજા’ તરીકે ઓળખાતા શાહબુદ્દીન રાઠોડનો આજે ૯ ડિસેમ્બરના રોજ જન્મદિન છે. તેમના જીવન ઝરમર વિશે ટૂંકમા જાણીએ તો –  અનેક વાર વિદેશ પ્રવાસ – ૨૨ દેશોની મુલાકાત લીધી છે. થીયેટર, આકાશવાણી અને દૂરદર્શન પર અનેક હાસ્ય કાર્યકમો આપેલ છે.તેમના પ્રેરણામૂર્તિ – ચાર્લી ચેપ્લિન, માર્ક ટ્વેઇન, સૌથી […]

આનંદીબેન મફતલાલ પટેલ ભારતીય રાજકારણી અને ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે. તેણી સને ૧૯૮૭ થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેણીએ ગુજરાત સરકારમાં સને ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના […]

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાધના સાપ્તાહિકમાં ગત ૧૫ નવેમ્બરના અંકમાં ગુજરાતીલેક્સિકોનની ખૂબ સુંદર કવર-સ્ટોરી છપાઈ. પોતાના વિવિધ શબ્દકોષ, ગુજરાતી સાહિત્ય તથા અન્ય ગુજરાતી પ્રકલ્પો દ્વારા ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા બજાવનાર ગુજરાતીલેક્સિકોન વેબસાઈટની મુક્ત કલમે પ્રસંશા થઈ છે. સાધન સાપ્તાહિકના મદદનીશ એડિટર તથા લેખક – પત્રકાર શ્રી રાજ ભાસ્કરની કલમે કોતરાયેલ ગુજરાતીલેક્સિકોનની શબ્દરૂપ પ્રતિમા અત્રે પ્રસ્તુત કરું […]

મિત્રો, આપણે દિવાળી ધામધૂમથી મનાવી,  હવે દેવોની દિવાળી દેવદિવાળી આવશે. જેની ઉજવણી દેવો સાથે માનવો પણ કરે છે. દેવદિવાળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. દેવદિવાળીના દિવસે જ ઠેર ઠેર તુલસીવિવાહનું આયોજન પણ કરવામાં આવે છે અને ગુરુ નાનકદેવ જયંતીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓમાં દેવદિવાળીના પર્વનું ઘણું મહત્ત્વ રહેલું […]

૩૧મી ઑક્ટોબર, એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ છે.  (૩૧ ઑક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) આ દિવસ સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે પણ મનાવાય છે. સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના […]

દીવાળીની શુભકામનાઓ

October 21st, 2014 by GujaratiLexicon Team | No Comments »

અંધકારે એક વાર પરમાત્માને ફરિયાદ કરી : ‘પ્રભુ ! પ્રકાશ મને જંપવા દેતો નથી. હું જ્યાં જાઉં ત્યાં આવીને મને હાંકી કાઢે છે, હું ક્યાંય શાંતીથી રહી જ શકતો નથી.’ પ્રભુએ જોયું – અંધકારની ફરિયાદમાં વજૂદ છે. રોજ રાત પડે અવની પર અંધકાર ઊતરી આવે છે અને તરત જ થોડીવારમાં પ્રકાશનો ઉદય થાય છે. અંધકાર […]