Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ […]

“આ હિન્દતણી, ફૂલવાડી, તેને એક મળ્યો’ તો માળી પુષ્પ મધુરા ખીલ્યા અધૂરા, માનવ મનના પાક્યા પૂળા માનવતાના પુષ્પ ખીલવવા મથી રહ્યો એ માળી…… સદા યાદ રહે એ માળી….. ભારતની આંખો ભીની બની ગઈ, નંદનવાડી સૂની બની ગઈ, લાખ ખરચતાં કદી ન મળશે, એ તો પોરબંદરનો માળી….. સદા યાદ રહે એ માળી….. આ હિન્દતણી ફૂલવાડી, તેને […]

હિંદુ ધર્મ પ્રમાણે સુદ ભાદરવી પૂનમથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઈ જાય છે અને વદ અમાસ સુધી ૧૬ દિવસ ચાલે છે. આ શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસો દરમિયાન લગ્નો વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતાં નથી. શ્રાદ્ધપક્ષ દરમિયાન સોના-ચાંદી વગેરે કિંમતી ચીજવસ્તુઓની ખરીદીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. શ્રાદ્ધપક્ષનો સંબંધ મૃત્યુ સાથે છે. આ જ કારણે આ અશુભ કાળ […]

5 મી સપ્ટેમ્બર એટલે “રાષ્ટ્રીય શિક્ષક દિન”. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં “શિક્ષકદિન” તરીકે ઊજવાય છે. મિત્રો, તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ એટલે […]

અમદાવાદ અનેક સાહિત્યકારોની નગરી છે. અહીં રોજબરોજ સાહિત્યના અનેક કાર્યક્રમો-સમારંભો થયા કરે છે. તેમાંનો એક વિશેષ સમારંભ તારીખ ૦૧ – ૦૯ – ૨૦૧૪ના રોજ યોજાયો.  સમારંભની વિગતો આ મુજબ છેઃ  પ્રસિદ્ધ નૃત્ય વિવેચક શ્રી સુનિલભાઈ કોઠારીને ગુજરાત સાહિત્ય સભા ( અમદાવાદ ) તરફથી ઈ. સ. ૨૦૧૨નો  શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો સમારંભ.  સમયઃ સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪  […]

ગણેશ સ્તોત્રમ્ वक्रतुंडमहाकायसूर्यकोटिसमप्रभ:। निर्विध्नंकुरुमेदेवसर्वकार्येषुसर्वदा॥ ભાવાર્થ – જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારા વિઘ્ન હરે. प्रणम्यशिरसादेवंगौरीपुत्रंविनायकम् । भक्तावासंस्मरेनित्यंआयुःकामार्थसिद्धये ॥ १॥ ભાવાર્થ – ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય […]

ગૌરક્ષા માટે બલિદાન

August 27th, 2014 by GujaratiLexicon Team | No Comments »

27મી ઑગસ્ટ, 1993નો દિવસ અહિંસા અને જીવદયા પ્રેમીઓ માટે આઘાતજનક હતો. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં કેટલાંક હિંસક અને સ્વાર્થી તત્ત્વોએ હિંસાનો જે ખેલ માંડ્યો, તેણે જીવદયા પ્રેમીઓનાં રુંવાડાં ઊભાં કરી નાંખ્યાં. તે વખતે આ મુટ્ઠીભર સ્વાર્થી તત્ત્વોને લાગ્યું હશે કે એક ગીતાબેન રાંભિયાને ખતમ કરી દેતાં તેમનો રસ્તો સાફ થઈ જશે, પણ તેમનું બલિદાન લાખો […]

“ સામાન્ય મનુષ્યનું જીવન અને અર્થ કામરૂપી પુરુષાર્થમાં વ્યતીત થતું હોય છે. આવા મનુષ્યો વર્ષમાં ઓછામાં ઓછા 8 દિવસ ધર્મની આરાધના કરે અને આત્મકલ્યાણ સાધે તે હેતુથી જ્ઞાની ભગવંતોએ આ પર્વનું આયોજન કર્યું છે.  ‘પરિ’ એટલે ચારે બાજુથી અને ‘ઉષ’ એટલે વસવું આમ ચારે બાજુથી આત્માની સમીપ રહેવાનું પર્વ એટલે પર્યુષણ પર્વ. ” પર્યુષણ મહાપર્વ […]

અમૃત ઘાયલ એ ગુજરાતી કવિતા જગતમાં ખૂબ  જાણીતું નામ છે. એક ગૌરવવંતા ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં તેમનું નામ ગુંજે છે. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ ઘાયલ હતું. એમનો જન્મ ૧૯ ઓગસ્ટ, ૧૯૧૬ના દિવસે સરધાર, તાલુકો-જિલ્લો રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો. તેમની માતાનુ નામ સંતોકબેન અને પિતાનુ નામ લાલજીભાઇ હતુ. તેમનુ અવસાન ૨૫ – ડીસેમ્બર૨૦૦૨ ના રોજ રાજકોટ ખાતે થયુ હતુ. […]

  હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી […]