Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, આપણે દિવાળી ધામધૂમથી મનાવી,  હવે દેવોની દિવાળી દેવદિવાળી આવશે. જેની ઉજવણી દેવો સાથે માનવો પણ કરે છે. દેવદિવાળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. દેવદિવાળીના દિવસે જ ઠેર ઠેર તુલસીવિવાહનું આયોજન પણ કરવામાં આવે છે અને ગુરુ નાનકદેવ જયંતીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓમાં દેવદિવાળીના પર્વનું ઘણું મહત્ત્વ રહેલું […]

દીવાળીની શુભકામનાઓ

October 21st, 2014 by GujaratiLexicon Team | No Comments »

અંધકારે એક વાર પરમાત્માને ફરિયાદ કરી : ‘પ્રભુ ! પ્રકાશ મને જંપવા દેતો નથી. હું જ્યાં જાઉં ત્યાં આવીને મને હાંકી કાઢે છે, હું ક્યાંય શાંતીથી રહી જ શકતો નથી.’ પ્રભુએ જોયું – અંધકારની ફરિયાદમાં વજૂદ છે. રોજ રાત પડે અવની પર અંધકાર ઊતરી આવે છે અને તરત જ થોડીવારમાં પ્રકાશનો ઉદય થાય છે. અંધકાર […]

ગુજરાતી દૃષ્ટિકોણવાળું અમેરિકન લખાણ વાંચવું હોય તો શ્રી હરનિશ જાનીને વાંચવા જોઈએ. તેમની પાસે રસાળ, પ્રેમાળ, સંવેદનનાભરી, હાસ્ય રેલાવતી લેખનકલા છે. તેઓ હાલ અમેરિકાના નિવાસી છે અને તેમનું હૃદય ગુજરાત અને ગુજરાતવાસીએ માટે ધબકી રહ્યું છે. અહીં રજૂ થયેલ વાર્તામાં તેમણે વિદેશ જતાં ભારતીયની વેદના-સંવેદનાની વાત કરી છે. …………………………………………………………………………………………………………………………………………………………………………………………………………. ત્રીસ વરસ પહેલાં જ્યારે સેવન  ફોર્ટી […]

આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારિબાપુ હિંદુ ધર્મ અને સંસ્કૃતિની મહાન ધરોહર સમા મૂલ્યવાન ધર્મગ્રંથ રામાયણના આધારે આદર્શ, સુસંસ્કૃત અને ચરિત્રવાન સમાજના નિર્માણ માટેના સઘન પ્રયાસો પોતાનાં ઉપદેશવચનો દ્વારા  કરી રહ્યા છે. તેમના એક પુસ્તક આનંદરાહ બતાવે રામાયણમાંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત કરાયું છે. ચાલો તે વાંચનરૂપી જ્ઞાનગંગામાં ડૂબકી મારી પાવન થઈએ.  ……………………………………………………………………………………………………………………………………… માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી […]

દરેક વ્યકિતના જીવનમાં સ્વચ્છતા એ એક મહત્ત્વનું પાસુ છે પછી ભલે એ આધ્યાત્મિક જીવન હોય કે વ્યવહાર માર્ગ હોય. જીવનમાં સ્વચ્છતા એ પ્રાથમિક બાબત છે. આધ્યાત્મિક જીવનમાં આંતરિક સ્વચ્છતાની જરૂર છે તો વ્યવહાર માર્ગે બાહ્ય સ્વચ્છતાની જરૂર છે. બાળકોના જીવનમાં કુટુંબ અને શાળામાં નાનપણથી જ સ્વચ્છતાનું મૂલ્ય સમજાય તથા “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” એવા સંસ્કાર […]

“આ હિન્દતણી, ફૂલવાડી, તેને એક મળ્યો’ તો માળી પુષ્પ મધુરા ખીલ્યા અધૂરા, માનવ મનના પાક્યા પૂળા માનવતાના પુષ્પ ખીલવવા મથી રહ્યો એ માળી…… સદા યાદ રહે એ માળી….. ભારતની આંખો ભીની બની ગઈ, નંદનવાડી સૂની બની ગઈ, લાખ ખરચતાં કદી ન મળશે, એ તો પોરબંદરનો માળી….. સદા યાદ રહે એ માળી….. આ હિન્દતણી ફૂલવાડી, તેને […]

નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાતની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે.‘જયાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત‘ કવિની આ કાવ્‍ય પંક્‍તિને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જયાં જયાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેંક […]

એક સુંદર ગામ હતું. ગામમાં એક સુંદર શાળા. આ શાળામાં એક બહુ જ ભલા, જ્ઞાની અને રમૂજી સ્વભાવના શિક્ષક શાંતિલાલ રહે. શંતિલાલ બાળકોને પ્રેમથી ભણાવે. સારી-સારી વાર્તાઓ કહે. તેમની વાતો સાંભળી તોફાની છોકરાય શાંત થઈ જાય. એક દિવસ શાંતિલાલ સાહેબે એક સુંદર વાર્તા કહી. આ વાર્તા હતી મહાભારતના સમયની. શાંતિલાલે કહ્યું : એક મહાન રાજા […]

સાંજનો સમય હતો. એક બાર વર્ષના છોકરાએ પોતાના ઘરની બહાર પગ મૂક્યો. પોતાના ભાઈને વાળુ કરવા બોલાવવાનો તે વિચાર કરતો હતો. હજી ઘરની બહાર પગ મૂકે છે, ત્યાં તો એક મોટો ધડાકો થયો. એવો મોટો ધડાકો કે આખાય વિસ્તારની વીજળી ચાલી ગઈ. ન કાંઈ દેખાય, ન કશી સમજ પડે. ચારેકોર કાળું ઘોર અંધારું ! ભયનાં […]

હિંદુ ધર્મ પ્રમાણે સુદ ભાદરવી પૂનમથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઈ જાય છે અને વદ અમાસ સુધી ૧૬ દિવસ ચાલે છે. આ શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસો દરમિયાન લગ્નો વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતાં નથી. શ્રાદ્ધપક્ષ દરમિયાન સોના-ચાંદી વગેરે કિંમતી ચીજવસ્તુઓની ખરીદીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. શ્રાદ્ધપક્ષનો સંબંધ મૃત્યુ સાથે છે. આ જ કારણે આ અશુભ કાળ […]