સમગ્ર વિશ્વમાં તા. 19 નવેમ્બર 2015 થી તા. 25 નવેમ્બર 2015ની વચ્ચે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી થાય છે.
અમદાવાદ પણ એક હેરિટેજ સીટી બનવાની રેસમાં છે. અમદાવાદમાં એવા ઘણા સ્થાપત્યો આવેલા છે જે હેરિટેજ યાદીમાં સ્થાન પામેલ છે અથવા પામી શકે તેમ છે. આથી જ અમદાવાદમાં પણ વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી થઈ રહી છે.
અમદાવાદના હેરિટેજ સ્થાપત્યોની યાદી ઉપર એક નજર કરીએ જે 600 વર્ષથી પણ જૂના છે તો તેમાં સીધી સૈયદની જાળી, હઠિસિંહની વાડી અને દેરાસર, અડાલજની વાવ, સરખેજનો રોજો, માણેકબુર્જ, કાલુપુરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર, અમદાવાદના શહેરી વિસ્તારની શાન અને જાન ગણાતી પોળો અને તેમાં આવેલા મકાનો વગેરે જેવા ઘણાં સ્થાપત્યો છે .
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં હેરિટેજ સપ્તાહની ઉજવણી સંદર્ભે ઘણાં આયોજન થાય છે. તો ચાલો સૌ અમદાવાદી માણો હેરિટેજ સપ્તાહ.
http://deshgujarat.com/2013/11/19/world-heritage-week-celebration-in-ahmedabad/
વિતેલાં વર્ષોના હેરિટેજ સપ્તાહની એક ઝલક : http://ahmedabadheritagefestival.blogspot.in/p/media.html
No Response to “હેરિટેજ સપ્તાહ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment