તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ શ્રી હેમરાજ શાહ દ્વારા એક જાહેરાત કરવામાં આવી જે નીચે મુજબ છે –
દર વર્ષે કવિ નર્મદના જન્મદિવસ એટલેકે 24 ઓગષ્ટના દિવસને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે એક ગુજરાતી સાહિત્યકૃતિ અને એક મરાઠી સાહિત્યકૃતિને ‘નર્મદ પુરસ્કાર’ એનાયત કરવામાં આવે છે. પસંદગી સમિતી દ્વારા આ વર્ષે એટલે કે 2012 માટે ગુજરાત વિશ્વકોશના શ્રી ડૉ. ધીરુભાઈ ઠાકરને અને મરાઠી કવિ શ્રી શંકર વૈદ્યની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડમાં એક શાલ, શ્રીફળ, સન્માનપત્ર અને રોકડા 51,000 આપવામાં આવે છે. શ્રી ધીરુભાઈની ઉંમરને ધ્યાનમાં લેતાં તેઓ આ પ્રસંગે મુંબઈ આવી શકે તેમ નથી તેથી મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યધક્ષ અને બીજા બે સભ્યો ટૂંક સમયમાં અમદાવાદ જશે અને તેમને આ એવોર્ડ એનાયત કરશે.
[આ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે અમે શ્રી દીપક બી. મહેતાનાના આભારી છીએ]
No Response to “ડો. ધીરુભાઈ ઠાકરને નર્મદ પુરસ્કાર એનાયત” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment