- ઘણીવાર અસર્મથતા જ સ્વપ્નનું મૂળિયું હોય છે
- કોઈપણ વસ્તુ આપણને એકદમ યોગ્ય સમયે જ મળે તેનું જ મહત્ત્વ વિશેષ હોય છે
- માત્ર ક્ષમતા જ પુરતી નથી તેમાં સખત પરિશ્રમનું મેળવણ પણ ભળવું જોઈએ
- સ્વપ્નને સિદ્ધ કરવા માટે ‘હવે તો ઘણું મોડું થઈ ગયું છે’ તેમ માનવા કરતાં તેને સિદ્ધ કરવા મચી જ પડવું કેમકે સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય
- વાંચન વિચારોને વિશાળ બનાવે છે જ્યારે વિચારો વ્યક્તિત્ત્વને
- આત્મમંથન માટેનું પ્રેરણાસ્ત્રોત છે નિષ્ફળતા
- મંઝિલ સુધી પહોંચવા માટેની સીડી છે દૃઢ મનોબળ
- જીવનની દરેક ઘટના કંઈક તક લઈને આવતી હોય છે તેને ઓળખતા આવડવું જોઈએ
No Response to “કેટલાંક સુવાક્યો” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment