આર્યસત્ય = બુદ્ધે જણાવેલાં ચાર મહાન સત્યો-દુ:ખ, સમુદય, માર્ગ અને નિરોધ
ચાર વેદ = ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ
કેટલાક મોગલ બાદશાહો = બાબર, અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ
શાસ્ત્રીય નૃત્યના પ્રકાર = કથ્થક-કથકલી, ભરતનાટ્યમ, ઑડિસી
શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ = કાલિંદી, ભદ્રા, મિત્રવિંદા, રુકમણી, સત્યભામા, જાંબુવતી, સત્યા
ચંદ્રક = સાહિત્યકારોને તેમની વિશિષ્ટ કૃતિઓ માટે અપાતો ચંદ્રક – કુમાર ચંદ્રક, રણજિતરામ સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક
સાત પ્રાચીન નગરીઓ = અયોધ્યા, અવંતિકા(ઉજ્જયિની), મથુરા, હરદ્વાર, કાશી, દ્વારકા, કાંચી આ મોક્ષનગરીઓ પણ કહેવાય છે.
દશ અવતાર = વિષ્ણુના દશ અવતાર-મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ
સાત પાતાળ = અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ
પાંચ સંસ્કૃત મહાકાવ્યો = રઘુવંશ, કુમારસંભવ, શિશુપાલવધ, કિરાતાર્જુનીય, નૈષધીયચરિત
સાત પ્રાચીન પર્વતો = મહેન્દ્ર, મલય, સાહ્ય, શુક્તિમાન, ગંધમદન, વિંધ્ય, પારિયાત્ર
સમાધિસ્થાનકો = ગાંધીજીનું રાજઘાટ, નહેરુજીનું શાંતિવન, શાસ્ત્રીજીનું વિજયઘાટ, ઇંદિરાજીનું શક્તિસ્થાન
સ્થાયીભાવ = ચિત્તમાં સંસ્કારરૂપે રહેલા ભાવ. તે નવ છે : રતિ; હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, નિંદા, વિસ્મય અને નિર્વેદ
Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૨૧૫-૨૬૦)
Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)
Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત
No Response to “કેટલાક પ્રાચીન, ઐતિહાસિક અને અર્વાચીન નામો” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment