‘ઇષ્ઠ’ અને ‘ઇષ્ટ’
ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠતાદર્શક પ્રત્યય ‘ઇષ્ટ’ નહીં પણ ‘ઇષ્ઠ’ છે. એ પ્રત્યય લગાડવાથી નીચેના શબ્દો બને છે.
કનિષ્ઠ, ગરિષ્ઠ, જ્યેષ્ઠ, તેજિષ્ઠ, ધર્મિષ્ઠ, પાપિષ્ઠ, બલિષ્ઠ, વસિષ્ઠ, શ્રેષ્ઠ, સ્વાદિષ્ઠ વગેરે.
‘સ્વાદિષ્ઠ’ અને ‘સ્વાદિષ્ટ’ બંને ખરા છે.
હવે નીચેના શબ્દો જુઓ.
અનિષ્ટ, અશિષ્ટ, ઇષ્ટ, ઉત્કૃષ્ટ, ક્લિષ્ટ, ચેષ્ટા, દુષ્ટ, નિશ્ચેષ્ટ, પુષ્ટ, મિષ્ટ, પરિશિષ્ટ, વિશિષ્ટ, ષષ્ટિ, વિષ્ટિ, સૃષ્ટિ વગેરે.
‘ત’ નો ‘ત’ થાય
સંસ્કૃત તત્સમ શબ્દો કે જેને છેડે વ્યંજન હોય અને ગુજરાતી પ્રત્યય લેતા હોય તો આ છેલ્લા વ્યંજનને અકારાંત ગણીને આખો લખવો. જેમકે, જગત, પરિષદ, બુદ્ધિમાન, વિદ્વાન, શ્રીમાન, સંસદ વગેરે
અપવાદ : અર્થાત્, કિંચિત, ક્વચિત, પશ્ચાત, સાક્ષાત એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દો સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા જેમ કે, કિંચિત્કર, પશ્ચાત્તાપ.
જો આવા શબ્દો પછી ‘જ’ આવે તો ‘ત’ આખો લખવો. જેમ કે, કિંચિત જ, ક્વચિત જ.
વિશેષણ ઉપરથી નામ
વિશેષણ ઉપરથી નામ બનાવવા માટે નીચેના પાંચમાંથી કોઈ પણ એક પ્રત્યય લગાડાય છે.
અ, ય, ત્વ, તા, પણું
જેમ કે ‘ગુરુ’ (એટલે મોટું ભારે) ને ત્વ, તા, પણું પ્રત્યય લગાડવાથી ગુરુત્વ, ગુરુતા, ગુરુપણું એમ બને છે.
‘મૃદુ’ ઉપરથી મૃદુત્વ-મૃદુતા-મૃદુપણું અને ‘મધુ’ ઉપરથી માધુર્ય-મધુરત્વ મધુરતા-મધુરપણું એમ બને છે.
(‘માધુર્ય’ કેમ બન્યું? વિશેષણને જ્યારે અ કે ય પ્રત્યય લાગે છે ત્યારે શબ્દના પહેલા અક્ષરમાં ફેરફાર થાય છે – વૃદ્ધિ થાય છે. ‘ત્વ’, ‘તા’ કે ‘પણું’ પ્રત્યય લાગે ત્યારે પ્રથમ અક્ષરમાં કશો ફેરફાર થતો નથી.’
જો આવા શબ્દો પછી ‘જ’ આવે તો ‘ત’ આખો લખવો. જેમ કે, કિંચિત જ, ક્વચિત જ.
Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૧૪૯, ૧૫૦)
Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)
Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત
No Response to “જોડણીના નિયમો ભાગ – 4” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment